સવિનય નિવેદન જે અમોએ શ્રી જયદ્વારકાધીશ ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ રજી નં . ઈ - ૯૫૧ , જિલ્લો - દેવભૂમિદ્વારકા , ખંભાલિયા - દ્વારકા હાઈવે ઉપર ખંભાલિયાથી ૬ (છ) કિમી . દુર આવેલ છે - અમોએ આ ગૌશાળા પંદર વર્ષથી ચાલુ કરેલ છે. જેમાં ૧૦૦૦ ( એક હજાર ) ગાયો રહી શકે તેટલું બાંધકામ કરેલ છે. એટલે કે પાકા છાપરા , પાણી માટે અવેડા - કુંડીઓ તેમજ ચોમાસામાં ખાણદાણ તથા ઘાસચારો ખાઈ શકે તેવી પાકી ગમાણની વ્યવસ્થા રાખેલ છે. પાણી માટે -બોર કરાવેલ છે. જેમાં ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા છે.
આપણી આ ગૌશાળામાં ખંભાલિયા તથા આજુબાજુના ગામોના તેમજ અન્ય જગ્યાએથી અપંગ , બીમાર તેમજ નિરાધાર પશુઓ આવે તેને રાખવામાં આવે છે... દર રવિવારે પશુ નિદાન કેમ્પ રાખવામાં આવે છે. જેમાં બીમાર પશુઓની ડોક્ટર મારફત સારવાર કરવામાં આવે છે. જેમાં અને બીમાર પશુઓને દવા વિ. આપવામાં આવે છે.
Read more